Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

જોડીયા બ્રાહ્મણશેરી ગરબી મંડળમાં આઠમના ‘‘ઇશ્વર વિવાહ'' ભક્‍તિભાવ પૂવર્ક ઉજવાયો

વાંકાનેર : જોડિયામા પરા વિસ્‍તારમા બ્રાહ્મણશેરીમા આવેલ વર્ષો પુરાણી પ્રાચીન ગરબી બ્રાહ્મણ શેરી ગરબા મંડળ ખાતે નવરાત્રીના પાવન નવલા નોરતામા અહીંયા ભાઈઓ શ્રદ્ધા પૂર્વક પ્રાચીન ગરબાનુ ગાન કરે છે. જ્‍યાં ગઈકાલે તા. ૩ / ૧૦/ ૨૨ ને સોમવારના આઠમના રોજ -તિ વર્ષ મુજબ આ વર્ષે પણ  ભગવાન ભોળાનાથ શિવજી ના ઈશ્વર વિવાહ ભકિતમયના દિવ્‍ય માહોલ વચ્‍ચે યોજાયેલ હતા જેમાં પોઠીયા ઉપર શિવજી ભગવાનની સવારી ભૂત, -ેતો સાથે આવેલ હતી જ્‍યાં મધ્‍ય મંડપમા હાથ ધેરણુ, મહાદેવજીની આરતી કરવામાં આવેલ હતી ભકિતમયના દિવ્‍ય માહોલ વચ્‍ચે અતિ આનંદ અને ઉત્‍સાહ પૂર્વક ઈશ્વર વિવાહ કરવામાં આવેલ હતો જે યાદી બ્રાહ્મણ શેરી ગરબા મંડળના સભ્‍ય પદુભાઈ નકુમની યાદીમા જણાવેલ છે.

(11:51 am IST)