Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

જસદણની સાંદિપની શાળામાં વકતૃત્‍વ સ્‍પર્ધા યોજાઇ

 જસદણ : શ્રી સાંદિપની સંસ્‍કાર વિદ્યાલય જસદણ શાળામાં ધોરણ ૩ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે વકતળત્‍વ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં પાણી બચાવવા માટેના પ્રયત્‍નો, સ્‍વચ્‍છતા માટે આપણે શું કરી શકીએ, દેશ માટે પોતાનો રાષ્‍ટ્ર પે્રમ, કોરોના જેવા વાયરસ ન ફેલાય તેના માટેની સાવચેતી જેવા મુદ્દા ઉપર વિદ્યાર્થીઓ દ્વારા મૌખિક રજૂઆતથી સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જે શાળાના સંસ્‍થાપક ડો. સંજયસર સખીયા, શાળાના આચાર્ય  વર્ષાબેન, ઇન્‍ચાર્જ આચાય પરિમલસર તથા સ્‍પર્ધાના કન્‍વીનર ઉમેશસર તથા નયનાબેન વિદ્યાર્થીઓને સ્‍પર્ધા વિશેનું પૂરું માર્ગદર્શન આપેલ હતું. અને જે વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો તેઓને અને અગ્રતા નંબર પ્રાપ્ત કરેલ છે તેઓને શાળા તરફથી ઇનામ આપીને વિદ્યાર્થીઓનો ઉત્‍સાહ  વધારેલ હતો. (તસવીર-અહેવાલ : કરશન બામટા આટકોટ)

(1:08 pm IST)