Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

સાળંગપુર શ્રી કષ્‍ટભંજનદેવ હનુમાનજીને દિવ્‍ય વાઘા-ફુલોનો શ્રૃંગાર-યાત્રિક ભવનના ખાતમુહૂર્ત સાથે પૂ. રાકેશપ્રસાદજી મહારાજના જન્‍મોત્‍સવની ઉજવણી

વાંકાનેર : શ્રી સ્‍વામીનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વ વિખ્‍યાત સાળંગપુરધામ શ્રી કષ્‍ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ. શાષાી સ્‍વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) ની શુભ પ્રેરણાથી એવં કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્‍વામિના માર્ગદર્શનથી વડતાલ મેનેજીંગ ટ્રસ્‍ટી બોર્ડના સંપૂર્ણ સાથ સહકારથી તેમજ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીના આશીર્વાદથી ૧૦૦ રૂમો તથા વિશાળ હોલની સુવિધાવાળુ ગુજરાતનું પ્રથમ તા. ૩ ઓગસ્‍ટ ર૦રર, બુધવારના રોજ શ્રી કષ્‍ટભંજનદેવ દાદાને ફુલનો દિવ્‍ય શણગાર એવં નૂતન સદ્‌્‌ગુરૂ યોગીવર્ય શ્રી ગોપાળાનંદ સ્‍વામી યાત્રિક ભવનનું ખાતમુહુર્ત એવં શ્રી લક્ષ્મીનારાયણદેવ ગાદી પીઠાધિપતિ સનાતન પ.પૂ.ધ. ધુ. ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીનો પ૬મો જન્‍મ ઉત્‍સવની ઉજવણી કરાઇ હતી. મંદિરના પટાંગણના શ્રાવણ માસ નિમિતે વિશ્વશાંતિ હનુમાન ચાલીસા અને હનુમંત મંત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે.

 

(10:59 am IST)