Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

અમરેલીમાં ઝડપી અશાંત ધારો લાગુ થશે

વિશ્વ હિન્‍દુ પરિષદના કાનાણી, દુધાત અને જીલ્લા ભાજપ પ્રમુખ કૌશીકભાઇની મહેનત

અમરેલી તા.૪ : છેલ્લા ત્રણ વર્ષથી વિશ્વ હિન્‍દુ પરિષદ વતી ભરતભાઇ કાનાણી, હસુભાઇ દુધાત બહુમતી લોકોની સલામતી માટે અશાંત ધારો લાગુ કરવા રજુઆતો કરતા હતા. ત્‍યારે હમણા બે મહિના પહેલા મુખ્‍યમંત્રી સ્‍થાનિક નેતા કૌશીકભાઇ વેકરીયા સાથે રહી કાર્યવાહી કરવા કૌશિકભાઇને સુચના આપેલ અને કૌશીકભાઇ પણ એસ.પી.કલેકટર આ બાબતે યોગ્‍ય તપાસ કરી સરકારમાં દરખાસ્‍ત કરવા જરૂરી સુચનાઓ આપેલ. તેના અનુસંધાને પોલીસ તંત્ર મહેસુલ વિભાગ દ્વારા આ વિસ્‍તારોમાં સર્વે કરી તપાસ કરતા માંગણી યોગ્‍ય જણાતા કલેકટરશ્રીને રીપોર્ટ આપી તેઓશ્રીએ પણ સરકારમાં અશાંત ધારો લાગુ કરવા માટેની દરખાસ્‍ત કરી આપેલ. ત્‍યારબાદ મહેસુલ મંત્રીશ્રીને કૌશિકભાઇ આ દરખાસ્‍ત ઝડપથી લાગુ કરવા માટે રજુઆત કરી આવેલ. આવી રીતે સતત મહેનતનાં કારણે ટુંક સમયમાં અશાંત  ધારો લાગુ કરવામાં આવશે તેવી ખાત્રી આપી છે. 

(1:36 pm IST)