Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

જુનાગઢ ભાજપની પત્રકાર પરિષદ

 જુનાગઢઃ સાંસદ રાજેશભાઈ ચુડાસમા તથા ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગરનાં પ્રમુખ  પુનિતભાઈ શર્માની ઉપસ્‍થિતિમાં પ્રેસ કોન્‍ફરન્‍સ રાખવામાં આવેલ હતી. જેમાં રાજુલા જાફરાબાદનાં પુર્વ ધારાસભ્‍ય હીરાભાઈ સોલંકી જુનાગઢ મહાનગર મેયર ગીતાબેન પરમાર, મિડીયા વિભાગ નાં સંજય પંડ્‍યા શુરેશ પાનસુરીયા જીતુ ઠકરાર, સંગઠન ઉપપ્રમુખ  ઓમભાઇ રાવલ, ભુમિત રાવલ, ઉપાસના પુરોહિત તથા પત્રકાર મિત્રો ઉપસ્‍થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના આઠ વર્ષના સેવા, સુશાસન અને ગરીબ કલ્‍યાણ અભિયાન અંતર્ગત તા. ૫ થી ૧૫ જૂન સુધી યોજાનાર વિવિધ કાર્યક્રમો અંગેની માહિતી આપતા સાંસદશ્રી રાજેશભાઈ ચુડાસમાએ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈનાં શાસનકાળ દરમિયાન થયેલા નિર્ણાયક કામોની માહિતી આપી હતી સાથે નરેન્‍દ્રભાઇ મોદી સરકારની સિદ્ધિઓ વર્ણવતાં જણાવ્‍યું હતું કે વર્ષ ૨૦૧૪ પહેલા સરકારના યોજનાઓનો પુરેપુરો લાભ જનતા સુધી પહોંચતો નહતો જ્‍યારે હાલની સરકારમાં આજે પુરે પૂરી રકમ સીધી ખાતામાં જમા થાય છે

(1:28 pm IST)