Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

જૂનાગઢમાં જગન્નાથજી રથયાત્રાની તૈયારી માટે બેઠક

(વિનુજોશી)જૂનાગઢઃ તા.૪: અષાઢી બીજ નિમિત્તે નીકળતી જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા જવાહર રોડ ભીડભંજન મહાદેવ મંદિર ખાતે તનસુખગીરી બાપુના અધ્‍યક્ષ સ્‍થાને મહોત્‍સવના આયોજન માટે બેઠક મળી હતી.

કોરોનાકાળ દરમિયાન સાદાઇથી થતી ઊજવણીને બદલે હવે ધામધૂમ પૂર્વક રથયાત્રા યોજાશે. જેમાં વિરેનભાઇ શાહ, જનકભાઇ, પુરોહિત, રાજેન્‍દ્રભાઇ ચુડાસમા, નવનીત ભાઇ શાહ, શૈલેષભાઇ પારેખ, સાગરભાઇ વાજા, રમેશભાઇ વાજા હાજર રહ્યા હતા.

(1:56 pm IST)