Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

પૂ.સીતારામબાપુના વ્‍યાસાસને દ્વારકામાં શ્રીમદ્દ ભાગવત કથાનો પ્રારંભ

જુદા-જુદા પ્રસંગોની ભવ્‍યતાથી ઉજવણી કરાશે

રાજકોટ તા. ૪: ભાવનગરના અધેવાડાના શ્રી શિવકુંજ આશ્રમ સોમનાથ હાઇ-વેના પૂ.સીતારામબાપુના વ્‍યસાસને તા.ર થી ૮ જુન સુધી આહિર સમાજ ભવન, નેશનલ હાઇ-વેની બાજુમાં દ્વારકા ખાતે શ્રીમદ્દ ભાગવત કથાનું આયોજન કરાયુ છે. ગુરૂવારે પોથીયાત્રા સાથે કથાનો પ્રારંભ થયો છ.ે

જે અંતર્ગત તા.પને રવિવારે નૃસિંહ પ્રાગટય, સવારે ૧૧ વાગ્‍યે શ્રીવામન જન્‍મોત્‍સવ બપોરે૧ વાગ્‍યે ઉજવાશે. તા.૬ને સોમવારે બપોરે ૧ર વાગ્‍યે શ્રીરામ જન્‍મોત્‍સવ સાંજે ૬ વાગ્‍યે શ્રીકૃષ્‍ણ જન્‍મોત્‍સવ તથા તા.૭ને મંગળવારે બપોરે ૧ર વાગ્‍યે શ્રી ગોવર્ધન પૂજા અને સાંજે ૬ વાગ્‍યે શ્રી રૂક્ષ્મણી વિવાહ ઉજવાશે.

આ ઉપરાંત શ્રી શિવવિવાહ, સુદામા ચરિત્રની પણ ઉજવણી કરવામાં આવશે.

દિપ પ્રાગટય તથા સંત દર્શનમાં પૂ.સદાનંદજી દંડી સ્‍વામી પૂ. જયોતિર્મયીમા, પૂ. ઉષામૈયા, પૂ.વિજયદાસબાપુ, પૂ. સુબોધાનંદજીબાપુ, પૂ.કેશવાનંદજીબાપુ, પૂ.ચંદ્રપ્રસાદસ્‍વામી, પૂ. શ્‍યામાનંદજીબાપુ, પૂ. જીવણનાથબાપુ સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા.

કથાના મુખ્‍ય પોથી યજમાન નરભેરામભાઇ મણીશંકરભાઇ ધાંધલ્‍યા, હરીશંકરભાઇ ગોપાળજીભાઇ ધાંધલ્‍યા, પ્રવિણભાઇ ધનેશ્વરભાઇ ધાંધલ્‍યા (પી.ડી.ભાઇ) તથા અન્‍ય પોથી યજમાનમાં જસુભા દેવભા ચુડાસમાં સ્‍વ. રામબા જીલુભા ઝાલાના સ્‍મરણાર્થે, હસ્‍તે મૌર્યદિવસિંહ ઝાલા, રવિભાઇ કરશનભાઇ બારૈયા, સ્‍વ. બાલાભાઇ ડાયાભાઇ ડાંગરના સ્‍મરણાર્થે હસ્‍તે નારણભાઇ તથા કલ્‍યાણભાઇ ડાંગર, સ્‍વ. કુંવરબા ગૌરીશંકર ધાંધલ્‍યાના સ્‍મરણાર્થે કેશવજીભાઇ જીવરામભાઇ ભટ્ટ (ટીમાણા) છ.ે ભાવિકોને લાભ લેવા જણાવાયું છે.

(12:47 pm IST)