Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

જુનાગઢ ‘અકિલા' બ્‍યુરો ઓફિસને શુભેચ્‍છા પાઠવતા પૂ. મોરારીબાપુ

નાગઢ તા. ૪ :.. વિશ્વ વંદનીય સંત કથાકાર પૂ. મોરારીબાપુની ગત રાત્રે ક્ષત્રીય સમાજના આગેવાન શ્રી વનરાજસિંહ રાયજાદાના ગુરૂકૃપા ફાર્મે પધરામણી થઇ હતી. દરમ્‍યાન પૂ. મોરારીબાપુની જુનાગઢ જિલ્લા ‘અકિલા' બ્‍યુરો ઓફીસને રર વર્ષ પુર્ણ થઇ ર૩ માં પ્રવેશ થતા પૂ. બાપુ એ ‘અકિલા' ના પત્રકાર વિનુભાઇ જોષીને આશિર્વાદ આપી રૂબરૂ લેખિતમાં શુભેચ્‍છા પાઠવતા જણાવ્‍યું હતું કે અકિલા બ્‍યુરો ઓફીસને રર વર્ષ પુરા થયા છે મારી પ્રસન્નતા શુભકામના રામ સ્‍મરણ સાથે.  (તસ્‍વીર : મુકેશ વાઘેલા જુનાગઢ)

(12:06 pm IST)