Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

થાનમાં પગથીયેથી પડી જતાં લક્ષ્મણભાઇ બોસીયાનું મોત

રાજકોટ તા. ૪: થાનગઢ આંબેડકરનગરમાં રહેતાં લક્ષમણભાઇ કેશુભાઇ બોસીયા (ઉ.વ.૪૮) પોતાની ઘરે પગથીયા પરથી લપસી પડતાં માથામાં ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃત્‍યુ પામનાર લક્ષમણભાઇ બે ભાઇમાં મોટા હતાં અને છુટક મજૂરી કરતાં હતાં. બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના અલ્‍પેશભાઇએ પ્રાથમિક કાર્યવાહી કરી થાન પોલીસને જાણ કરી હતી.

 

(11:15 am IST)