Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

અંજારના સાપેડા નજીક નર્મદાની લાઇનમાં ભંગાણ : પાણીની તંગી વચ્ચે હજારો લીટર પાણીનો વેડફાટ

સતત પાણી વહી રહ્યું હોવાના કારણે આસપાસના ખેતરોમાં પણ પાણી ભરાયા

ભુજ :  આકરી ગરમીમાં કચ્છમાં પાણી માટે લોકો વલખા મારી રહ્યાં છે. ત્યારે પાણીની તંગી વચ્ચે હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે, અંજારના સાપેડા નજીક નર્મદાની લાઇનમાં ભંગાણ સર્જાયું છે. જેને લઇ હજારો લીટર પાણી વહી રહ્યું છે. પાણીની લાઇનમાં ભંગાણ  સર્જાતા પાણીના ઉંચા ફુવારા ઉડ્યાં હતા. એટલું જ નહીં સતત પાણી વહી રહ્યું હોવાના કારણે આસપાસના ખેતરોમાં પણ પાણી ભરાયા છે. ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ પાઇપ લાઇનનું સમારકામ કરાવવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યાં છે.

 

(10:19 pm IST)