-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
સુકી સાજડીયાળીના સરપંચની કોરોનાકાળમાં નોંધનીય કામગીરી
ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજાની સમજાવટથી લોકડાઉન અમલમાં અને રસિકરણમાં પણ ગામ આગળ રહ્યું
રાજકોટ તા. ૩: કોરોનાના ભરડામાં ગામડાઓ પણ બાકાત રહ્યા નહોતાં. ગામડાઓમાં કોરોના પ્રત્યે જાગૃતિ આવે તે માટે તંત્રવાહકોની સાથે ગામના આગેવાનો, સરપંચો દ્વારા પણ જહેમત ઉઠાવાઇ હતી. રાજકોટ તાલુકાના સુકી સાજડીયાળી ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહ (હકુભા) લાખુભા જાડેજાએ પણ ગામને કોરોના મુકત રાખવામાં સફળતા મેળવી હતી.
તેમણે ગામલોકોમાં જાગૃતિ લાવવા માટે અથાગ પ્રયાસો કર્યા છે. કોરોના લોકડાઉન દરમિયાન પણ ગામમાં પોતે જાગૃતિ ફેલાવી, લોકો ઘરમાં જ રહે અને સુરક્ષિત રહે એ માટે જાતે ઘરે ઘરે જઈને ગામ લોકોને સમજણ આપીલ હતી. ઉપરાંત કોરોનાના રસિકરણમાં પણ આ ગામ આગળ રહ્યું છે. તાજેતરમાં રસીકરણ કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં બાકી રહી ગયેલા ગામલોકોની સાથે બહારથી મજૂરી માટે આવેલા આદિવાસી પરિવારોને પણ રસી અપાવી હતી. ગામલોકોએ સરપંચ ધર્મેન્દ્રસિંહ (હકુભા) લાખુભા જાડેજાની કામગીરીને બિરદાવી પ્રશંસા કરી હતી.