Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

પાટીદારધામ મોરબી દ્વારા રાહત દરે એમ્બ્યુલન્સ સેવા : એબ્યુલન્સ સેવા દરેક સમાજ માટે 24 કલાક રાહત દરે કાર્યરત રહેશે

મોરબી. કોરોના કાળ દરમ્યાન સમાજસેવી,પાટીદાર અગ્રણી સ્વ.શિવલાલ બાપા ઓગણજાનો સ્વર્ગવાસ થયો હતો,એમની સેવાને જીવંત રાખવા માટે એમની સ્મૃતિ અર્થે પાટીદાર ધામ મોરબી અને પાટીદાર સમાજના દાતા ના સહયોગથી એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવેલ હતી આ એબ્યુલન્સ સેવા દરેક સમાજ માટે 24 કલાક રાહત દરે ચાલુ કરેલ છે
તો તમામ ઇમર્જન્સીમાં કોઈપણ સમાજ માટે આ એબ્યુલન્સ હંમેશા તૈયાર રહેશે તેમજ કોઈપણ પ્રકારની ઈમરજન્સી ન હોય દર્દીઓને હોસ્પિટલ પર લાવવા લઈ જવા માટે પણ ઉપયોગ કરી શકાશે.જેમને પણ આ એમ્બ્યુલન્સની જરૂર હોય તેને મો.નંબર 98750 61212/79904 28535 પર સંપર્ક કરવો ખર્ચ પેટે માત્ર ડીઝલના નાણાં ચૂકવવાના રહેશે,ગરીબ દર્દીઓ માટે ફ્રી સેવા આપવામાં આવશે.

(10:27 pm IST)