Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

ખોખરા હનુમાન ખાતે વેદ વિદ્યાલય તથા સંસ્કૃત મહાવિદ્યાલયના નવનિર્મિત ભવનનો રવિવારે ઉદ્દઘાટન સમારોહ યોજાશે.

મોરબી તાલુકાના બેલા-ભરતનગર ગામ પાસે આવેલ ખોખરા હનુમાન હરિહર ધામમાં કેશવાનંદ બાપુ વેદ વિદ્યાલય, સદગુરુ સંસ્કૃત મહાવિદ્યાલય તથા ગુરુકુળના નવા ભવનનો રવિવારે ઉદઘાટન સમારોહ યોજવામાં આવનાર છે.

ભરતનગર પાસે ખોખરા હનુમાન હરિહર ધામમાં કનકેશ્વરી દેવીના સાનિધ્યમાં કેશવાનંદ બાપુ વેદ વિદ્યાલય, સદગુરુ સંસ્કૃત મહાવિદ્યાલય તથા ગુરુકુળનો આગામી તારીખ ૩ ના રોજ ઉદ્દઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમ અંતર્ગત સવારે ૧૦:૦૦ કલાકે ઉદઘાટન સમારોહ, ૧૦:૩૦ કલાકે કેશવાનંદ વેદ વિદ્યાલયના ઋષિકુમારો દ્વારા વૈદિક કાર્યક્રમ, ૧૧:૦૦ કલાકે સંતોનાં આશીર્વચન તથા મહાનુભવોનું પ્રાસંગિક વક્તવ્ય, બપોરે ૧૨:૩૦ કલાકે ભોજન મહાપ્રસાદ યોજાશે.
આ સમારોહમાં ઉદ્ઘાટન પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલના વરદહસ્તે કરવામાં આવશે તેમજ સમારોહમાં વિશેષ અતિથિ તરીકે ભાજપ ઇન્દોરના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય, સાંસદ વિનોદભાઇ ચાવડા,રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા, રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા, ભાજપ ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ જયંતિભાઈ કવાડિયા, મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા, મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલ તેમજ ઉદઘોષક તરીકે હસુભાઈ પંડ્યા ઉપસ્થિત રહેશે.

(10:02 pm IST)