Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

મોરબીની આરટીઓ કચેરી નજીક ખેત તલાવડીમાં ડૂબી જતા વૃદ્ધનું મોત

મોરબી નજીક આવેલ આરટીઓ કચેરી પાસે ખેત તલાવડીમાં ડૂબી જતા બનાસકાંઠાના વતની વૃદ્ધનું મોત થયું છે જે બનાવ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

મોરબીના ખાખરાવાળી મેલડી માતાજી રોડ કૃષિ યુનીવર્સીટી પાસે ખેત તલાવડીમાં વૃદ્ધ ડૂબ્યા હોવાની માહિતી મળતા મોરબી ફાયર ટીમના લીડીંગ ફાયરમેન ઠાકોર મહાદેવજી સવજીભાઈ, ફાયરમેણ સંજયભાઈ, ભાગ્યરાજસિંહ, કિશનભાઈ જોશી, દર્શનભાઈ, મહેન્દ્રભાઈ સહિતની ટીમ દોડી ગઈ હતી અને વૃદ્ધને બચાવવા રેક્સ્યું ઓપરેશન હાથ ધર્યું હતું.
જોકે વૃદ્ધનો મૃતદેહ જ ફાયર ટીમને હાથ લાગ્યો હતો મૃતક ભરથરી સુનીલભાઈ (ઉ.વ.૭૦) રહે નવા નાગરપુરા તા. વડગામ જી બનાસકાંઠા વાળા હોવાનું ખુલ્યું હતું વૃદ્ધના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(9:53 pm IST)