Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ તથા સામાજિક સંસ્થાઓના આગેવાનોએ મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાત લીધી

મોરબી : ગુજરાતમાં ઉચ્ચ સ્તરે નૈતૃત્વ પરિવર્તન આવે, ત્યારે આગેવાનો નેતાની મુલાકાત કરી તેમને અભિનંદન પાઠવતા હોય છે. ત્યારે મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ ગોવિંદભાઈ વરમોરા તેમજ ઉમિયા માતા મંદિર ટ્રસ્ટ – ઊંઝા, ખોડલધામ કાગવડ તથા સામાજિક સંસ્થાઓના હોદેદારો, દાતાઓએ નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

આ તકે ઊંઝા માતાજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ મણીભાઈ અને મંત્રી દિલીપભાઈ પટેલ, ખોડલધામ કાગવડના પ્રમુખ નરેશ પટેલ અને મંત્રી, અગ્રણી જેરામભાઈ વાંસદડિયા તથા લક્ષચંડી મહાયજ્ઞના મુખ્ય યજમાન તથા મોરબીના સનહાર્ટ ગ્રુપના ગોવિંદભાઈ વરમોરાએ ઉપસ્થિત રહી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું અભિવાદન કર્યું હતું.

(9:49 pm IST)