Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

મોરબી જીલ્લામાં મંત્રી બ્રિજેશભાઈ મેરજાના નેતૃત્વમાં જન આશીર્વાદ યાત્રા યોજાશે.

મોરબી : ભારતીય જનતા પાર્ટી દ્વારા મોરબી જિલ્લામાં જન આશિર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબીના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી બ્રિજેશભાઈ મેરજાના નેતૃત્વમાં જન આશીર્વાદ યાત્રા તા. ૦૩ ને રવિવારના રોજ યોજાશે
જે જન આશીર્વાદ યાત્રા સવારે ૦૮ : ૩૦ કલાકથી સાંજે ૫ સુધી ચાલશે જેમાં ચરાડવા, નીચીમાંડલ, મહેન્દ્ર નગર ચોકડી, બેલા, જેતપર ગામ, અણીયારી ચોકડી, માળીયા, સરવડ ગામ મોટાભેલા, ચમનપર, રામબાઇ મંદીર, મોટા દહીસરા ગામે અને અંતમાં કબીર આશ્રમ નાની વાવડીમાં યાત્રા ફરશે. આ તમા સ્થળે યાત્રાનું સ્વાગત અને અભિવાદન કરવામાં આવશે
રવિવારના રોજ ૫ થી ૬ કલાક સુધી મોરબી શહેરના મુખ્ય માર્ગ ઉપર અભિવાદનકર્તા યાત્રા ફરશે અને માર્ગમાં આવતા મંદિરોમાં દર્શન કરશે. સમાપન સમયે અભિવાદન સભા પણ યોજાશે.

(9:48 pm IST)