Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

માળિયાથી માતાના મઢ જતા પદયાત્રી માતા-પુત્રના મોતથી અરેરાટી : અકસ્માત બાદ ડમ્પર પલટી મારી ગયું.

નવરાત્રી નિમિતે કચ્છમાં માં આશાપુરાના દર્શનાથે શ્રદ્ધાળુઓ જતા હોય છે ત્યારે માળિયાથી માતાના મઢ જતા મહિલા પદયાત્રીનું ડમ્પરની ઠોકરે મોત થતા પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે
મોરબીના લક્ષ્મીનગર નજીક તાજેતરમાં એક પદયાત્રીનું મોત થયું હતું તો આજે વધુ એક પદયાત્રીનું માર્ગ અકસ્માતમાં મોત થયું છે જે બનાવ મામલે મળતી વિગતો પ્રામાણે માળિયાના નવાગામ ધરમનગરના રહેવાસી કૈલાશબેન હરપાલભાઈ ધામેચા (ઉ.વ.૩૩) નામના મહિલા પગપાળા માતાના મઢ જવા નીકળ્યા હોય જે પદયાત્રી મહિલા અને તેના ચાર વર્ષના પુત્ર ધાર્મિકનું માળિયા હાઈવે પર શહેનશાહ વલી પાટિયા પસી ડમ્પરની ઠોકરે મોત થયું હતું
જે અકસ્માત બાદ ડમ્પર પલટી મારી ગયું હતું અકસ્માતમાં પદયાત્રી માતા-પુત્રના મોત થયાનું સુત્રો જણાવે છે તો પતિ હરપાલભાઈને ઈજા પહોંચી હોવાની માહિતી મળી છે બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.

(9:46 pm IST)