Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

ભુજના દેશલસર તળાવની આખરે સફાઈ શરૂ : દિલ્હીની સંસ્થા કરશે સ્વચ્છતાની કામગીરી

તળાવમાં થોડા સમય પહેલા જ સફાઈ કરાવ્યા છતાં ફરી જળકુંભી ઉગી આવી

ભુજ :  મહાત્મા ગાંધીએ લોકોને સ્વચ્છતાની સમજ આપી છે અને આજે ગાંધી જયંતિ નિમિતે ભુજના દેશલસર તળાવની લાંબા સમયથી બાકી રહેલી સફાઈ કામગીરી શરૂ કરાઈ હતી. દેશલસર તળાવમાં થોડા સમય પહેલા જ સફાઈ કરાવ્યા છતાં ફરી જળકુંભી ઉગી આવી હતી અને લગભગ સમગ્ર તળાવમાં ફેલાઇ ગઇ હતી. ભુજ નગરપાલિકા દ્વારા દિલ્હી સ્થિત એક બિન સરકારી સંસ્થાને સંપર્ક કરાયું હતું અને આજથી સંસ્થા દ્વારા સ્વખર્ચે તળાવની સફાઈનું કામ શરૂ કરાયું હતું.

(8:32 pm IST)