Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

કાલે જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર ના પરીક્ષાર્થીઓ માટે પરીક્ષા : જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાય દ્વારા શાંતિપુર્વક પરીક્ષા લેવાય તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ

(વિનુ જોશી દ્વારા )જુનાગઢ તા.૨ : ચાલુ વર્ષે ITI ના છેલ્લા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા તાલીમાર્થીઓ ધોરણ 12 નું શૈક્ષણિક સમકક્ષતા પ્રમાણપત્ર મેળવી શકે તે હેતુથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 ના અંગ્રેજી વિષય ની પરીક્ષા લેવાનાર છે.

જે અન્વયે નજીકના ત્રણ જીલ્લા જૂનાગઢ, ગીર સોમનાથ,  પોરબંદર ના પરીક્ષાર્થીઓ માટે 1 પરીક્ષા કેન્દ્ર શ્રી આર.જે.કનેરીયા ગર્લ્સ સ્કુલ, મોતીબાગ, જૂનાગઢ  ખાતે 184 પરીક્ષાર્થીઓ 11 બ્લોકમાં તા.03/10/2021 ના રોજ  સમય 11:00 થી 14:15 કલાક સુધી અંગ્રેજી વિષયની પરીક્ષા લેવાનાર છે.
જે અન્વયે વહીવટીતંત્ર દ્વારા જાહેરનામુ બહાર પાડેલ છે..
અને જિલ્લા શિક્ષણાધિકારી  આર.એસ. ઉપાધ્યાય દ્વારા શાંતિપુર્વક  પરીક્ષા લેવાય તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામા આવેલ છે.

(8:07 pm IST)