Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

પોરબંદર સાંદિપની ગુરૂકુળની મુલાકાતે ભુપેન્દ્રભાઇ :

 પોરબંદર : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે ગાંધીજયંતી અવસરે ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરની મુલાકાત દરમ્યાન પ્રસિધ્ધ ભાગવત કથાકાર પૂજય ભાઇશ્રી રમેશભાઇ ઓઝા પ્રેરિત સાંદિપની ગુરૂકુળ સંકુલની મુલાકાત લીધી હતી. ભુપેન્દ્રભાઇ પટેલનું પુજ્ય ભાઇએ ભાવભર્યું સ્વાગત કર્યું હતું અને આ ગુરૂકુળમાં ચાલતી વિવિધ વિદ્યા સંસ્કાર પ્રવૃતિઓથી વાકેફ કર્યા હતા. મુખ્યમંત્રી શ્રી અને પુજય ભાઇ સહિતના મહાનુભાવોએ ગુરૂકુળમાં દર્શન અર્ચન પણ કર્યા હતા તે તસ્વીરો (તસ્વીરો : પરેશ પારેખ)

(4:04 pm IST)