Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

પોરબંદર ગ્રામ્યમાં રાત્રે ૨.૧ તીવ્રતાનો આંચકો

ભૂકંપનું કેન્દ્ર બિન્દુ બગવદરના આંબારામ નજીક : જાનહાનિ નથી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર,તા. ૨ : જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં ગઇ કાલે રાત્રીના ૨.૫૪ મીનીટે ૨.૧ તીવ્રતાનો આંચકો આવતા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.

પોરબંદર ગ્રામ્ય વિસ્તારમાં આવેલ ભૂકંપના આંચકાનું કેન્દ્ર બિન્દુ પોરબંદરના બગવદરના આંબારામ નજીક હોવાનું જાણવા મળ્યુ છે. ભૂકંપના આંચકાથી કોઇ જાનહાની કે નુકશાન થયું નથી. 

(1:08 pm IST)