Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

મોબાઈલ ઘરે મુક્યો,બાઈક પુલ પર પાર્ક કરી

તળાજાના યુવાને શેત્રુંજી નદીના પુરમાં પુલ પરથી મારી છલાંગ

ભાવનગર,તા.૨ : ભાવનગર જિલ્લાના તળાજાના દરબારગઢ ખાતે આવેલ મોટા હનુમાનજી મંદિર ના પૂજારી નો યુવાન પુત્ર કૃણાલ કાંતિગીરી ગોસ્વામી ઉ.વ.૨૫, આજે બપોરે શેત્રુંજી નદીના પુલપર બાઈક મૂકી ને નદીના ધસમસતા -વાહમાં મોતની છલાંગ લગાવીહતી.આ ઘટના નઝરે નિહાળનારે જોઈ હોય તાત્કાલિક અહીંથી પસાર થતા પોલિસ કર્મી અતુલભાઈ મેસરિયા ને જાણ કરી હતી.

યુવકે પુલ પર પોતાની શિવ લખેલ બાઈક નં.જીજે-ઝીરો ૪ડી-પી ૪૫૫૫ પાર્ક કરેલ હોય પ્રથમ તેની તલાશી લેતા યુવક નું આધારકાર્ડ અને પાકિટ મળી આવ્યું હતું.હેડ.કો.અતુલભાઈ મેસરિયા એજણાવ્યું હતુંકે નદીના પુર માં આશરે એકસોફૂટ દૂર જતો જોવા મળ્યો હતો. આધારકાર્ડ થી ઓળખ થતું વાત વાયુવેગે નગરમાં પ્રસરી હતી. જેને લઈ મામલતદાર કનોજીયા, નગરસેવક આઈ.કે વાળા, કથાકાર ભારદ્વાજબાપુ ગોસ્વામી, કોળી સેના ના નારણભાઇ પોલીસ હોમગાર્ડ જવાનો અને નગરવાસીઓ મોટી સંખ્યામાં સ્થળપર દોડી આવ્યા હતા.છલાંગ લગાવનાર યુવકની શોધખોળ હાથધરવામાં આવી હતી.

યુવક ના મિત્રોએ જણાવ્યું હતુંકે છેલ્લા કેટલાંક સમય થી માનસિક સ્થિતિ બરાબર હતી નહિ. યુવક સારો તરવૈયો પણ હતો.યુવક ને શોધવામાટે સાંજે ૫ વાગે NDRF ની ટીમ શેત્રુંજી નદીના તટે આવી પહોંચી હતી. યુવક પોતાનો મોબાઈલ ઘરે મુકતો આવ્યો હતો.

ભારદ્વાજબાપુ એ જણાવ્યું હતુંકે વેળાવદર નજીક ભુખ્યાને ભોજન પીરસી પોતે ફોરવહીલ લઈ ને શેત્રુંજી નદીના પુલ પરથી પસારથયાહતા.તે સમયે કૃણાલ ગૌસ્વામી ને ત્યાં વિચારાધીન અવસ્થામાં ઉભેલો જોયોહતો.

મોડીસાંજે NDRF ની ટીમ, સ્થાનિક સેવાભાવી લોકો દ્વારા યુવક ની શોધખોળ હાથધરવામાં આવી છે.

 શેત્રુંજી નદીના પુલ પરથી નદીના ધસમસતા પ્રવાહમાં છલાંગ લગાવનાર કૃણાલ કાંતિગીરી ગૌસ્વામીના મિત્રો એ જણાવ્યું હતુંકે તે સારો તરવૈયો હતો. પોલીસ જવાને નદીના પ્રવાહમાં જતો જોયો પણ હતો.

(11:54 am IST)