Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

જન્માષ્ટમીનો તહેવાર જૂનાગઢને ફળ્યો : માનવ મહેરામણ ઉમટ્યુ : સરકારી તિજોરી છલકાઈ : 2.60 કરોડની આવક

મિની વેકેશનમાં 25 હજાર લોકોએ રોપ-વેની સફર કરી, 55 હજાર પ્રવાસીઓએ સક્કરબાગ ઝૂની મુલાકાત લીધી : 2.35 લાખ લોકોએ ST બસની મુસાફરી કરી : ST ડિવિઝનને 1.33 કરોડની આવક : સક્કરબાગ ઝૂને 17 લાખની આવક

જૂનાગઢ :જન્માષ્ટમીએ આવેલા મિની વેકેશનમાં લાંબા સમય બાદ પ્રવાસન સ્થળો પર માનવ મહેરામણ ઉમટ્યુ હતું. આવામાં સરકારી તિજોરી પણ છલકાઈ ગઈ છે. જન્માષ્ટમીમાં જુનાગઢ  જિલ્લાને સૌથી વધુ પ્રવાસીઓ મળ્યા હતા. સાતમ-આઠમના તહેવાર પર 2.60 કરોડની આવક થઈ છે. જેથી કહી શકાય કે જન્માષ્ટમીનો તહેવાર જૂનાગઢને ફળ્યો છે.

જન્માષ્ટમીનો તહેવાર જૂનાગઢના રોપ-વે, સક્કરબાગ ઝૂ, STને ફળ્યો છે. સાતમ-આઠમના તહેવારમાં જૂનાગઢમાં 2.60 કરોડની આવક થઈ છે. 4 દિવસના મિની વેકેશનમાં 25 હજાર લોકોએ રોપ-વેની સફર કરી છે. તો 55 હજાર પ્રવાસીઓએ સક્કરબાગ ઝૂની મુલાકાત લીધી છે. 2.35 લાખ લોકોએ ST બસની મુસાફરી કરી છે. 4 દિવસમાં જૂનાગઢમાં ST ડિવિઝનને 1.33 કરોડની આવક થઈ છે. તો સક્કરબાગ ઝૂને 17 લાખની આવક થઈ છે. જેથી સમજી શકાય છે કે, જન્માષ્ટમીના તહેવારોમાં જૂનાગઢના પ્રવાસન સ્થળોની ડિમાન્ડ કેવી રહી હશે.

 

રોપ-વે શરૂ થયા બાદ પ્રથમ વખત શિતળા સાતમના દિવસના એક જ દિવસમાં 7,700 લોકોએ રોપ-વેની સફર માણી હતી. આ ઓલ ટાઇમ હાલએસ્ટ ટ્રાફિક રહ્યો હતો. પ્રવાસીઓની સંખ્યા વધુ હોવાથી રોપ-વેની ગતિ પણ વધારી દેવાઈ હતી. જેથી પ્રવાસીઓની ડિમાન્ડને પહોંચી વળાય. ભીડ વધુ હોવાથી ઓનલાઈન બુકિંગમાં પણ ચાર કલાકનું વેઈટિંગ રહ્યું હતું.

(1:30 pm IST)