Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

પોરબંદર ઉદ્યોગનગર પોલીસ સ્‍ટેશને પૂછપરછ માટે લાવ્‍યા બાદ શ્‍યામ બથીયાનું કુદરતી મોત

(પરેશ પારેખ દ્વારા)  પોરબંદર, તા., ર : પોરબંદર ઉદ્યોગનગર  પોલીસ સ્‍ટેશનમાં યુવકનું મોત થયું છે. ઉદ્યોગનગર  પોલીસે પુછપરછમાં લાવ્‍યા બાદ યુવકનું કુદરતી મોત થયું છે.

 

બોખીરા નજીકથી પોલીસ શ્‍યામ બથીયા નામના યુવકને ઉદ્યોગનગર પોલીસ સ્‍ટેશન લાવી હતી. યુવકનું પોલીસ સ્‍ટેશનમાં કુદરતી મોત થતા ડેપ્‍યુટી કલેકટર સહીતના અધિકારીઓનો કાફલો પોલીસ સ્‍ટેશન પહોંચ્‍યો હતો. ઉચ્‍ચ અધિકારીઓ દ્વારા ઘટનાની તપાસ શરૂ કરી પોસ્‍ટમોર્ટમ માટે જામનગર લઇ જવા તજવીજ શરૂ કરાઇ છે.

મૃતક શ્‍યામ બથીયા માનસીક રીતે બીમાર હોવાનુ પણ સામે આવ્‍યું છે. ૯૦ ટકા માનસીક રીતે બીમાર હોવાનું તબીબી સર્ટીફીકેટ રજુ કરાયું છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

 

 

(4:06 pm IST)