Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

ગારીયાધાર પંથકમાં અડધો ઇંચ વરસાદ : વલ્લભીપુર, સિહોર, તળાજા , મહુવા, ઉમરાળા, પાલિતાણા જેસરમાં ઝાપટા

ભાવનગર : જિલ્લાના ગારિયાધાર પંથકમાં 13 મી.મી. વરસાદ વરસી ગયો હતો. આ અડધા ઇંચ વરસાદથી ગારિયાધારમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. ગારિયાધારમાં સિઝનનો કુલ વરસાદ 463 મી.મી. હોય છે તેની સામે આજ સુધીમાં 340 મી.મી. એટલે કે 73.49 ટકા વરસાદ વરસી ચુકયો છે. તો ગઇકાલ અને આજે વલ્લભીપુર અને સિહોરમાં 6 મી.મી. વરસાદ વરસ્યો છે. જ્યારે તળાજામાં 5 મી.મી. મહુવા અને ઉમરાળામાં 4 મી.મી. તેમજ પાલિતાણામાં 3 તથા જેસરમાં એક મી.મી. વરસાદ નોંધાયો હતો

(11:11 am IST)