Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

કાલે સ્‍વ. માયાબેન ટેકવાણીની સ્‍મૃતિમાં જંકશન પાસે નિઃશૂલ્‍ક સર્વરોગ કેમ્‍પ

ઓમ નમઃ ફાઉન્‍ડેશન દ્વારા સેવાકાર્ય

રાજકોટ, તા. ૩૦ : સ્‍વ. માયાબેન છાગાંમલ ટેકવાણીના સ્‍મરણાર્થે વોર્ડ નં. ૩ ના કોર્પોરેટર શ્રીમતી કુસુમબેન સુનીલભાઇ ટેકવાણીના સહયોગથી ઓમ નમઃ સેવા ફાઉન્‍ેડેશન દ્વારા ગુજરાત સ્‍થાપનાના દિવસે કાલે રવિવારે સવારે ૧૦ થી ૧ ગુરૂનાનક હોલ, જંકશન મેઇન રોડ, આંબલીયા હનુમાન પાસે, કેમ્‍પ રાખેલ છે.

જેમાં સતનામ હોસ્‍પીટલના સહયોગથી અને તેમની ટીમ દ્વારાસ્ત્રી રોગ વિભાગમાં ડો. બીનાબેન ત્રિવેદી, ડો. નિકિતા ભરપોડા, ડો. પૂજા પાચાણી દ્વારા સેવા આપવામાં આવશે. બાળ રોગ વિભાગમાં ડો. જયેશ સોનવાણી, ડો. દિનેશ શ્રીમાંકર, ડો. અભિષેક મારકણા કુપોષીત બાળકો માટે સેવા આપશે. ઓર્થોપેડીક વિભાગમાં ડો. વિવેક પટેલ મેડીસન્‍સ વિભાગ ડો. અંજના વાઢેર સેવા આપશે.

કેમ્‍પમાં આવતા જરૂરીયાત મંદ લોકોને ફ્રી દવાઓ પણ આપવામાં આવશે. આ કેમ્‍પમાં રજીસ્‍ટ્રેશન મટો મો. નં. ૯૦૯૯રરર૧૮૧ ઉપર સંપર્ક કરવો સેવાકાર્યમાં ઓમ નમઃ સેવા ફાઉન્‍ડેશનના ટ્રસ્‍ટી અને વોર્ડ નં.૩ ના કોર્પોરેટર કુસુમબેનસુનિલભાઇ ટેકવાણી, વિજયભાઇ ટેકવાણી, નિલેશભાઇ ટેકવાણી, દિનેશભાઇ જગવાણી, જીતુભાઇ ગોપલાણી, અભયભાઇ નાંઢા હિતેષભાઇ રાવલ વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

 

(3:30 pm IST)