Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

શનિવારે મા- બાપ વગરની ૧૧ દીકરીઓના સમુહલગ્નઃ કાલે શુક્રવારે ભવ્‍ય લોકડાયરો

કરીયાવરમાં ૧૫૪ વસ્‍તુઓ અપાશેઃ ભવ્‍ય આયોજન

રાજકોટઃ સમાનતા સર્વજ્ઞાતિય સમુહલગ્ન સમિતિ દ્વારા તા.૧ એપ્રિલના શનિવારે મા- બાપ વગરની ૧૧ દીકરીઓના સમુહલગ્નનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત આવતીકાલે ૩૧મીના શુક્રવારે લોકડાયરો યોજાએલ છે.ક્રિકેટ ગ્રાઉન્‍ડ, પ્રમોદાબેન પ્રાથમિક શાળાની બાજુમાં, કોઠારીયા ખાતે કાલે આયોજીત આ લોકડાયરામાં રાજભા ગઢવી અને અપેક્ષાબેન પંડયા સાથે કમલેશભાઈ કોઠારીયા (કમાભાઈ) રંગ જમાવશે.જયારે શનિવારે ૧૧ દીકરીઓના સમૂહલગ્નમાં કરીયાવરમાં ૧૫૪ વસ્‍તુઓ આપવામાં આવશે.આયોજનમાં સંકેત રાઠોડ મો.૭૪૦૫૧ ૪૬૭૧૮, મહેશભાઈ પરમાર, કિશોરભાઈ પરમાર, પ્રવિણભાઈ રાઠોડ, જયદીપ પરમાર જોડાયા છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(3:12 pm IST)