Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

નવાગામ આણંદપરમાં કાનજીભાઇ ભખોડીયાનો સળગીને આપઘાત

પગમાં ગેંગરીન થવાના કારણે પંજો કાપવો પડયો'તોઃ સારૂ નહી થવાની બીકે અને દુઃખાવો સહન ન થતા પગલુ ભર્યું

રાજકોટ તા. ૩૦ : નવાગામ આણંદપરમાં રહેતા કોળી પ્રૌઢે સળગી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

 

મળતી વિગત મુજબ આણંદપર ગામમં રહેતા કાનજીભાઇ સીદીભાઇ ભખોડીયા (ઉ.પપ) એ સવારે પોતાના ઘરે કેરોસીન છાંટી સળગી જતા કોઇએ જાણ કરતા ૧૦૮ ના તબીબ ધીરૂભાઇએ તેનું મોત નિપજયુ હોવાનું જાહેર કર્યુ હતું. જાણ થતા કુવાડવા રોડ પોલીસ મથકના પીએસઆઇ વી.બી.આહીર તથા રાઇટર, રાજેશભાઇ અને મહાવિરસિંહ સ્થળ પર પહોંચી તપાસ આદરી હતી મૃતક કોળી પ્રૌઢ મજુરી કામ કરતા હતા તેને ઘણા સમયથી પગના પંજામાં ગેંગરીન થતા ત્રણ દિવસ પહેલા ઓપરેશન કરીને પગનો પંજો કાપવો પડયોહતો. પોતાને સારૂ નહી થાય તેવી બીક અને દુઃખાવો સહન ન થતા તેણે આ પગલુ ભર્યું હોવાનુ઼ ખુલ્યુ હતું. બે પૂત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવામાં શોક વ્યાપી ગયો છે.

(1:15 pm IST)