Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

ઇન્‍ડિયન લાયન્‍સ વાયબ્રન્‍ટ-રાજકોટના નવા પ્રમુખ એભલભાઇ ગરૈયા, ટીમનો કાલે શપથગ્રહણ સમારોહ

રાજકોટ : ઇન્‍ડિયન લાયન્‍સ વાયબ્રન્‍ટ રાજકોટના વર્ષ ર૦રર-ર૦ર૩ ના નવ-નિયુકત પ્રમુખશ્રી એભલભાઇ કે. ગેરૈયા મો. ૯૮ર૪૩ ૭૧૮૩૧ અને તેમની  ટીમની સાથે તા. ૩૦ ને શનિવારે ૭ કલાકે સમ્રાટ હોટેલ ખાતે શપથ ગ્રહણ કરશે. શ્રી એભલભાઇ કે. ગરૈયા હાલ રાજકોટ કાળીપાટ મુકામે આવેલ શ્રી બી. જી. ગરૈયા હોમીયોપેથીક કોલેજ અને આર્યુવેદિક કોલેજના મેનેજીંગ ટ્રસ્‍ટી છે. તેમજ  અનેક શૈક્ષણીક સંકુલ સાથે જોડેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઇન્‍ડીયન લાયન્‍સ સમગ્ર ગુજરાતના તમામ જીલ્લામાં આશરે ૮૦ થી વધારે ઇન્‍ડીયન લાયન્‍સ અને ઇન્‍ડિયન લાયોનેસ અને ઇન્‍ડિયન લીયો કલબ કાર્યરત છે. સ્‍વદેશી અને રાષ્‍ટ્રવાદી વિચારધારા ધરાવે છે. ઇન્‍ડિયન લાયન્‍સ નેશનલના  ચીફ પેટ્રન શ્રી હિતેષભાઇ પંડયા (એડીશનલ પી. આર. ઓ. ટુ સી. એમ.) અને શ્રી કમલેશભાઇ જોષીપુરા તેમજ (પૂર્વ કુલપતિ સૌરાષ્‍ટ્ર યુનિ.) હાલ, ઇન્‍ડિયન લાયન્‍સના પાસ્‍ટ નેશનલ ચેરપર્સન શ્રીમતી આશાબેન પંડયા, વાઇસ ચેરમેન શ્રી વનરાજભાઇ ગરૈયા, સેક્રેટરી શ્રીમતી શોભનાબા ઝાલા, પ્રોજેકટ ચેરમેન શ્રી કૌશિકભાઇ ટાંક, સંગઠન મંત્રી મૌલીકભાઇ આસોડીયા, મીડીયા ઇન્‍ચાર્જ શ્રી પીયુષભાઇ સોલંકી, સ્‍ટેટ પ્રેસીડેન્‍ટ શ્રી સુરેશભાઇ કટારીયા, સ્‍ટેટ સેક્રેટરી વિજયાબેન કટારીયા, સેકટર ચેરમેન શ્રી મયુરભાઇ પાટડીયા, (સોની) ઉપસ્‍થિત રહેશે. દિપ પ્રાગટય સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના પુર્વ કુલપતી શ્રી અતુલભાઇ પંડીત (નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન) ના હસ્‍તે રહેશે. નવ-નિયુકત પ્રમુખશ્રી એભલભાઇ ગરૈયાને નેશનલ ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી શ્રી મૌલીકભાઇ આસોડીયા શપથ ગ્રહણ કરાવશે તેમજ ઇન્‍ડીયન લાયન્‍સના પાસ્‍ટ નેશનલ  ચેરપર્સન શ્રીમતી આશાબેન પંડયા વકતવ્‍ય આપશે. શપથ ગ્રહણ કાર્યક્રમને સફળ બનાવવા જીજ્ઞેશભાઇ રામાવત, પ્રશાંતભાઇ લાઠીગ્રા, હુસેનભાઇ બદાણી, રાજેશભાઇ સોલંકી, પરેશભાઇ ખોખર, દેવેનભાઇ સોની, ચિરાગભાઇ ખોખર, અક્ષયભાઇ અજાગીયા, મનોજભાઇ મિયાત્રા, રવિભાઇ આહીર, જયેશભાઇ જાની, જગદીશભાઇ મિષાી, પ્રાગજીભાઇ ગડારા, વજુભાઇ સોલંકી, હસુભાઇ ગણાત્રા, જાગૃતભાઇ ઝીંઝૂવાડીયા, જયભાઇ કાચા, જીતેન્‍દ્રભાઇ ઉપાધ્‍યાય, હસમુખભાઇ કાચા, જોહરભાઇ કપાસી, ભગવાનભાઇ ચાવડા, જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:42 pm IST)