Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

ભુપેન્‍દ્ર રોડ સ્‍વામિનારાયણ મંદિરે આજથી એક મહિનો પૂ. જીજ્ઞેશદાદા ‘‘રાધે રાધે''ના વ્‍યાસાસને શ્રીમદ્દ ભાગવત માસ પારાયણ

કોઠારી પૂ. રાધારમણદાસજીની આગેવાનીમાં તૈયારીને આખરી ઓપ

(દર્શન મકવાણા-વિનુ જોષી દ્વારા) જામજોધપુર-જુનાગઢ તા .ર૮ : રાજકોટના ભુપેન્‍દ્ર રોડ ઉપર આવેલા શ્રી સ્‍વામિનારાયણ મુખ્‍ય મંદિરે કાલે તા. ર૯ જુલાઇથી તા.ર૭ ઓગસ્‍ટ સુધી એક મહિના માટે ભાગવત કથાકાર પૂ. જીજ્ઞેશદાદા (રાધે-રાધે) ના વ્‍યાસાસને શ્રીમદ્દ ભાગવત માસ પારાયણનું આયોજન કરાયું છે કોઠારી પૂ. રાધારમણદાસજી સ્‍વામિની આગેવાનીમાં આખરી ઓપ આપવામાં આવ્‍યો છે.

રાજકોટ ભુપેન્‍દ્ર રોડ સ્‍વામિનારાયણ મુખ્‍યમંદિરે પવિત્ર શ્રાવણ માસમાં સુપ્રસિદ્ધ ભાગવત કથાકાર પૂ. જીજ્ઞેશદાદા (રાધે-રાધે) ના શ્રીમુખે પૂ.વયોવળદ્ધ હરિચરણ સ્‍વામીની નિશ્રામાં  અને મંદિરના મહંત કોઠારી શાષાી સ્‍વામી શ્રી રાધારમણદાસજી (જામજોધપુર વાળા ) ની આગેવાનીમાં શ્રી મદ ભાગવત માસ પારાયણ નું ભવ્‍ય અને દિવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે. આવતીકાલ તા. ૨૯-૭-૨૦૨૨ થી ૨૭-૮-૨૦૨૨ સુધી કરાયુ છે જેમાં દરરોજ રાત્રે ૮ વાગ્‍યા થી ૧૦.૩૦ વાગ્‍યા સુધી પૂ. જીજ્ઞેશદાદા સત્‍સંગનો અલભ્‍ય લાભ આપશે આ પ્રસંગે રાજકોટ બાલાજી મંદિરના મહંત પૂ.વિવેકસાગર સ્‍વામી ,પૂ.મુનિવત્‍સલસ્‍વામી પૂ. ભક્‍તવત્‍સલ સ્‍વામી , પૂ. જગતપ્રસાદ દાસજી સ્‍વામી (જામજોધપુર વાળા )

પુ. ધર્મપ્રકાશસ્‍વામી, ભંડારી પૂ.આત્‍મજીવનસ્‍વામી, પૂ.જે.પી. સ્‍વામી પાર્ષદ કાંતિભગત સહિતના સંતો ઉપસ્‍થિત રહેશે તો આ દિવ્‍ય સત્‍સંગનો લાભ લેવા મંદિરના મહંત કોઠારી શાષાી  પૂ.રાધારમણસ્‍વામીની યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.

(11:02 am IST)