Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

જંગલેશ્વર વિસ્‍તારની સગીરાને લગ્નની લાલચ આપી રાજદીપ ભગાડી ગયો

રાધાકૃષ્‍ણ સોસાયટીના શખ્‍સ સામે અપહરણનો ગુનો

રાજકોટ તા.ર૯ : ઉત્તરપ્રદેશ હાલ જંગલેશ્વર વિસ્‍તારમાં રહેતી ૧૭ વર્ષની સગીરાને લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફોસલાવી રાધાકૃષ્‍ણ સોસાયટીનો શખ્‍સ અપહરણ કરી જતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ શહેરના જંગલેશ્વર વિસ્‍તારમાં રહેતા બહેન અને બનેવીના ઘરે એક મહિના પહેલા રોકાવા આવેલી ૧૭ વર્ષની સગીરા ગત તા.ર૬ના રોજ બપોરે તેની મોટી બહેનને હું અહીં બાજુમાં રહેતી બહેનપણીના ઘરે જાઉ છુ., તેમ કહી ઘરેથી નીકળ્‍યા બાદ પરત ન આવતા બહેન અને બનેવી સહિતના પરિવારજનોએ સગીરાને શોધખોળ હાથ ધરી હતી. તપાસ દરમિયાન શેરીમાં રમતા એક છોકરાએ જણાવેલ કે સગીરા રાજદીપ કાળુભાઇ આહીર નામના છોકરા સાથે જોવામાં આવી હતી. આમ સગીરાને રાજદીપ આહીર નામનો શખ્‍સ લલચાવી ફોસલાવી પ્રેમજાળમાં ફસાવી ભગાડી ગયો હોવાનું જાવણા મળતા સગીરાની  પ્રેમજાળમાં ફસાવી ભગાડી ગયો હોવાનું જાણવા મળતા સગીરાની માતાએ ભકિતનગર પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસે સગીરાની માતાની ફરિયાદ પરથી રાધાકૃષ્‍ણ સોસાયટી શેરી નં.૧નો રાજદીપ કાળુભાઇ આહીર સામે અપહરણની કલમ હેઠળ ગુનો દાખલ કરી પીઆઇ એમ.એમ.સરવૈયાએ તપાસ આદરી છે

(3:52 pm IST)