Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

આવતીકાલે રાજર્ષિ મુનીજીના સાનિધ્યમાં જાખણ ખાતે ૩૭મો કૃપાલુ નિર્વાણ મહોત્સવ

રાજકોટ, તા., ર૮: લાઇફ મિશનના પ્રણેતા સદગુરૂ સ્વામી રાજર્ષિ મુનીજીના સાનિધ્યમાં બ્રહ્મલીન ગુરૂદેવ યોગાચાર્ય સ્વામી કૃપાલ્વાનંદજીનો ૩૭ મો નિર્વાણદિન મહોત્સવ આવતીકાલે તા.ર૯ના રોજ રાજરાજેશ્વરધામ, જાખણ, તા. લીંબડી (અમદાવાદ હાઇવે) ખાતે ભકિતભાવ પુર્વક ઉજવાશે.

આ મહોત્સવ અંતર્ગત સ્વામી રાજર્ષિ મુનીજીનું પ્રવચન સવારે ૧૦.૦૦ કલાકે રાખવામાં આવ્યું છે. આ પુર્વે સવારે ૯.૦૦ કલાકે પાદુકા પુજન અને પ્રવચન બાદ બપોરે ૧ર.૩૦ કલાકે મહાપ્રસાદનું આયોજન લાઇફ મિશન જાખણ, કાયાવરોહણ તીર્થ સેવા સમાજ,  કૃપાલુ આશ્રમ અને વિજયદર્શન યોગ આશ્રમ દ્વારા રાખવામાં આવ્યાનું જણાવાયું છે.

રાજર્ષિ મુનીજીના દર્શન અને પ્રવચનનો લાભ લેવા માટે લાઇફ મિશન, બિલખા પ્લાઝા, રાજકોટ ખાતેથી વાહનની સગવડ રાખવામાં આવી છે. વધુ માહીતી માટે ૭૮૭૪૦ રપ૭પ૧ અથવા ૯૩ર૮૯ ૩૩૯૬૮ ઉપર સંપર્ક સાધવો.

(3:43 pm IST)