Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

એસ.ટી.ના પેસેન્જરો કેમ ઉપાડો છો?

બસ સ્ટેન્ડ પાસેથી ૨૭ ખાનગી પેસેન્જર વાહનો ડિટેઇન

આર.ટી.ઓ-પોલીસ અને એસ.ટી.ના અધિકારીઓની ટૂકડીઓ શાસ્ત્રી મેદાન-લીંબડા ચોક-માધાપર ચોકડી સહીતના સ્થળોએ ત્રાટકીઃ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર પેસેન્જર વાહનો ડિટેઇન કરવા ઝુંબેશ

રાજકોટ તા. ર૮ :.. એસ. ટી. બસ સ્ટોપ આસપાસનાં વિસ્તારોમાં ખાનગી પેસેન્જર વાહનોનું પાર્કિંગ કરી અને એસ. ટી. બસનાં પેસેન્જરોની હેરાફેરી કરવા ઉપર પ્રતિબંધ ફરમાવતાં જાહેરનામાનો ભંગ કરનારા ર૭ ખાનગી વાહનોને આજે બપોર સુધીમાં ડીટેઇન કરાયા છે.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત માહીતી મુજબ આજે સવારે એસ. ટી.નાં ડીવીઝનલ નિયામક શ્રી જેઠવા ત્થા પોલીસ કમીશ્નર શ્રી ગેહલોતનાં માર્ગદર્શન હેઠળ બસ સ્ટોપ  આસપાસ ઉભા રહી પેસેન્જરોની હેરાફેરી કરતાં વાહનો ડીટેઇન કરવાની ઝૂંબેશ સવારથી હાથ ધરાયેલ.

જાણવા મળ્યા મુજબ આજે બપોર સુધીમાં આ ઝૂંબેશ અંતર્ગત શાસ્ત્રી મેદાન મુખ્ય બસ સ્ટેન્ડ ત્થા માધાપર ચોકડી, લીંબડા ચોક સહિતનાં સ્થળોએથી કુલ ૭ બસ અને ર૦ જેટલાં એલ. એમ. વી. પેસેન્જર વાહનો ડીટેઇન કરાયા હતાં. (પ-રપ)

(3:40 pm IST)