Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

પંચવટી પાર્કમાં સ્કૂલ સંચાલકના માતા બ્રાહ્મણ વૃધ્ધાની આત્મહત્યા

૭૦ વર્ષના જયશ્રીબેન વ્યાસે બાથરૂમમાં જઇ ગળફાંસો ખાઇ લીધો

રાજકોટ તા.૨૮: પંચવટી પાર્કમાંરહેતાં બ્રાહ્મણ વૃધ્ધાએ ઘરના બાથરૂમમાં જઇ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. આપઘાત કરનારના પુત્ર સ્કૂલનું સંચાલન કરે છે.

જાણવા મળ્યા મુજબ પંચવટી પાર્ક-૨ બ્લોક નં. ૧૩૧માં રહેતાં જયશ્રીબેન ચીમનલાલ વ્યાસ (ઉ.૭૦) નામના વૃધ્ધાએ સવારે ઘરના બાથરૂમમાં જઇ ગળાફાંસો ખાઇ લેતાં હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ મોત નિપજ્યું હતું. માલવીયાનગરના પી.એસ.આઇ. કે. કે. માઢક અને રવિરાજસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી.

પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનારના પતિ નિવૃત જીવન ગાળે છે. તેમને સંતાનમાં ત્રણ પુત્ર છે. જેમાં એક પુત્ર પરેશભાઇ નોબલ નામથી સ્કૂલનું સંચાલન કરે છે. આપઘાતનું કારણ બહાર આવ્યું ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે.

પુણેના મુનાફભાઇનું રાજકોટમાં બેભાન થતાં મોત

પુણેના દત્તવાડી હર્ષ કોલોનીમાં રહેતાં અને હાઇડ્રોલીકનું કામ કરતાં મુનાફભાઇ અબ્દુલભાઇ સૈયદ (ઉ.૫૦) સવારે કામ સબબ રાજકોટ આવ્યા હોઇ ઢેબર રોડ એસ.ટી. બસ સ્ટેશનના ગેઇટ પાસે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. એ-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી

ખોખડદળના મુળુભાઇ ખાટલામાંથી ઉભા થયા ને મોત

ખોખડદળ રહેતાં મુળુભાઇ રૂખડભાઇ બોરીચા (ઉ.૭૫) સવારે ખાટલામાંથી ઉઠીને ચાલવા ગયા ત્યાં છાતીમાં દબાણ થતાં બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્યાનું તબિબે જાહેર કર્યુ હતું. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(3:32 pm IST)