Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

જામનગર પોલીસે ફરીયાદ ન લેતા રાવલસરના ભારાભાઇ ગઢવીના ડીઆઇજી કચેરીએ ઉપવાસ

રાજકોટઃ  જામનગર તાલુકાના રાવલસર ગામે સર્વે નં. ૧૮૧વાળી જમીન વર્ષોથી વાવતા ભારાભાઇ પેથાભાઇ ગઢવીને મૂળ માલીક યોગેશભાઇ નાથાભાઇ શાહ  જમીન ખાલી કરવા ધાકધમકી આપતા હોય તે અંગે પોલીસમાં લેખીત ફરીયાદ કરતા તેનો ખાર રાખી યોગેશભાઇ સહિત  ૪ શખ્સો  ગત તા. ૧૮-૧રના રોજ ગાડીમાં આવી વાડીમાં રહેલ મકાનમાં પુરી દઇ, ઘર સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ અંગે સ્થાનીક પોલીસને જાણ કરવા છતાં કોઇ મદદ ન મળતા ભારાભાઇ ગઢવી જામનગર હોસ્પીટલમાં દાખલ થયા હતા અને ત્યાં એમએલસી રિપોર્ટના આધારે ફરીયાદ દાખલ કરવાની માંગણી કરી હોવા છતાં જામનગર પોલીસે ફરીયાદ દાખલ ન કરતા આજે રેન્જ ડીઆઇજી કચેરી ખાતે એક દિ'ના ઉપવાસ ઉપર ઉતર્યા હતા અને વાડી માલીક સામે ફરીયાદ દાખલ કરવા માંગણી કરી હતી. તસ્વીરમાં ઉપવાસ ઉપર ઉતરેલ ભારાભાઇ ગઢવી નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:30 pm IST)