Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

નોરતામાં શ્યામલાલજીની હવેલીમાં નવવિલાસ રાસગરબા

દ્વારકેશ મંડળ ગ્રુપના ગાયકોનું રસપાન

રાજકોટઃ નોરતા ચાલી રહ્યા છે. ત્યારે શ્યામલાલજીની હવેલીમાં  સાંજે ૬ થી ૭:૩૦ કલાકે પ્રભુની ઝાંખી તેમજ ઠાકોરજી સન્મુખ અલૌકિક નવવિલાસ (રાસ ગરબા)માં ગાયક કલાકાર દ્વારકેશ મંડળ ગ્રુપ દ્વારા રાસોત્સવના અદ્દભુત આનંદનું રસપાન કરાવી રહ્યા છે. સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિને પ્રભુની અલૈકિક ઝાંખીનો લાભ લેવા મુખિયાજી શ્રીજયેશભાઈ હરિદાસભાઈ તરફથી નિમંત્રણ અપાયું છે. સ્થળ- શ્રી શ્યામલાલજીની હવેલી (જુની સદરની હવેલી), પંચનાથમંદિર મેઈન રોડ, જય સીયારામ ભગતપેંડાવાળાની સામે, રાજકોટ મો.૮૫૧૧૭ ૬૩૭૬૩

(4:29 pm IST)