Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

જાગનાથ જૈન સંઘમાં કાલે ધાર્મિક અનુષ્‍ઠાનોઃ પૂ.પંન્‍યાસ પ્રવર સત્‍વબોધી મ.સા.ની નિશ્રા

લબ્‍ધિપ્રસાદ કુંભ સ્‍થાપન, ગૌતમ સ્‍વામી પૂજન તથા શાલીભદ્ર ભંડાર સ્‍થાપન યોજાશે

રાજકોટ, તા.૨૭: પ.પૂ.પંન્‍યાસ પ્રવરશ્રી સત્‍વબોધી મ.સા.ની પાવન નિશ્રામાં કાલે ગુરૂવારે સવારે ૭ કલાકે શ્રી મંજુલાબેન હિંમતલાલ પારેખ આરાધના ભવનમાં લાભાર્થી પરિવારો પન્‍નાબેન કૌશીકભાઇ ખોખાણી (લબ્‍ધિપ્રસાદ કુંભ સ્‍થાપન), પુષ્‍પાબેન રજનીકાંત શેઠ (શ્રી ગૌતમ સ્‍વામી પૂજન), વસંતબેન વાડીલાલ વસા પરિવાર (શ્રી શાલીભદ્ર ભંડાર) તથા ધર્મીષાબેન ભાવીનભાઇ મહેતાએ શ્રી લબ્‍ધિપ્રસાદ કુંભ સૌ પ્રથમ ઘરે લઇ જવાનો લાભ લીધો છે.
કાર્યક્રમની શરૂઆત સવારે ૭ કલાકે પૂ.ગુરૂદેવની નિશ્રામાં કુંભ સ્‍થાપના દ્વારા થશે. ત્‍યારબાદ શ્રી ગૌતમસ્‍વામી પૂજન અને શાલીભદ્ર ભંડારની સ્‍થાપના વિધી યોજાશે. ત્‍યારબાદ ચતુર્વિધ સંઘ વાજતે-ગાજતે ભાવીનભાઇ મહેતાના નિવાસસ્‍થાને પધારશે.ત્‍યારબાદ શ્રી જીરાવાલા પાર્શ્‍વનાથ ભગવાન (ચાંદીના) નગર પ્રવેશ પણ કરાવવામાં આવશે. સકળ સંઘને પધારવા સંઘ પ્રમુખ દિનેશભાઇ પારેખે આમંત્રણ પાઠવ્‍યુ છે.

 

(3:55 pm IST)