Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

સુધાંશુ મહેતા એક વિરલ વ્યકિતત્વ

મિત્ર વર્તુળમાં ખૂબ જ પ્રિય - માનભર્યુ સ્થાન ધરાવતા

રાજકોટ : સૌરાષ્ટ્ર - ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલના અંગત મિત્ર વર્તુળ માહેના શ્રી સુધાંશુ મહેતાનું નામ હમણા - હમણા વિવાદમાં ધસડવાનું શરૃ કરાયુ છે. જો કે આ અંગે સત્તાવાર કોઈ પ્રતિક્રિયા આવી નથી. પરંતુ જાણકાર વર્તુળો કહે છે કે શ્રી સુધાંશુ મહેતા એક નિર્વિવાદ વ્યકિતત્વ છે. સહુ પ્રથમ શ્રી સુધાંશુ મહેતાને ભાજપના રાજય અધ્યક્ષના પી.એ. તરીકે વર્ણવવામાં આવ્યા હતા અને તેમને રૃખસદ અપાયાની વાતો ચાલી હતી. ત્યારબાદ હવે એવુ કહેવાયુ કે સુધાંશુજી પક્ષપ્રમુખના પી.એ. નથી એટલુ જ નહિં સરકાર અને પક્ષ બંને ગુજરાતના લોકોના હિતમાં કામ કરી રહેલ છે. સરકારના કાર્યમાં કોઈ દખલ કરતુ નથી. રાજયની સુખાકારી માટે સહુ સંપીને સહકારથી કાર્ય કરી રહ્યા છે. પક્ષ પણ કોઈ જ દખલગીરી આપતુ નથી.ખૂબ જ સૌમ્ય, મૃદુભાષી અને સતત કાર્યરત રહેતા શ્રી સુધાંશુ મહેતા ચોક્કસ પાટીલજીના અંગત સ્નેહીજન, પરિવારજન સમા છે. તેઓ હંમેશ સહુ કોઈને મદદરૃપ થવા તત્પર હોય છે. તેમના વિશે ઉલટ - સુલટ બાબતો વ્હેતી થતા તેમના વર્તુળોમાં ગ્લાનીની લાગણી પ્રસરી છે.

(4:38 pm IST)