Gujarati News

Gujarati News

News of Wednesday, 25th August 2021

બજરંગ ટ્રસ્ટ દ્વારા કાર્યકરોની સેવાનું સન્માન

રાજકોટઃ શ્રી બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા આયોજીતનો સન્માન સમારંભ નાનુભાઇ સોમૈયા (બ્રેડ-કટકાવાળા)ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં બજરંગ ટ્રસ્ટની સ્થાપનાની સતત સેવા આપી રહેલા બી.એલ. મહેતા તેમજ જાણીતા તબિબો ડો.એન. જે. મેઘાણી, ડો. કેતનભાઇ ભીમાણી દંપતી તથા ડો. બ્રિજેશભાઇ સોની, ડો. ધ્રુવીકભાઇ જસાણી, ડો. જૈમીનીબેન આરદેસણા વિગેરેનું મોમેન્ટો આપી સન્માન થયું હતું.આ સાથે જ જાણીતા એડવોકેટ જતીનભાઇ કારિયા દંપતી, રાઘવજી દોરાવાળા ભાવેશભાઇ વડેરા, ધીરૂભાઇ કોટક, સર્વહીત એકયું, વાળા મધુબેન જોશી, દિનકરભાઇ રાજદેવ, રાજુભાઇ તથા મૌલીકભાઇ બુધ્ધદેવ, ટ્રસ્ટીઓ કે.ડી. કારીયા, ધૈર્યભાઇ રાજદેવ, રોહીતભાઇ કારીયા, ગોરધનભાઇ લાલસેતા, કિશોરભાઇ પારેખ તથા અજયભાઇ કારીયાનું સન્માન થયેલ તેમજ કાર્યકરો પ્રવીણભાઇ ગેરીયા, મનીષભાઇ વસાણી, મનુભાઇ ટાંક, ચંદુભાઇ ગોળવાળા, અરજણભાઇ પટેલ, શબ્બીરભાઇ ભારમલ, દેવાંગભાઇ શેઠ, દિનેશભાઇ આડેસરા, રત્નાબેન મહેશ્વરી, રીનાબેન સોની, માયાબેન ગોહેલ, મનીષાબેન માલવાણીયા, રક્ષાબેન કોટેચા વિગેરેનું પણ મોમેન્ટો આપી સન્માન થયેલ. કાર્યક્રમનું સંચાલન મંત્રી કે.ડી.કારીયા દ્વારા તથા આભાર દર્શન ટ્રસ્ટી ધૈર્યભાઇ રાજદેવ દ્વારા થયુ હતુ. 

(2:59 pm IST)