Gujarati News

Gujarati News

News of Wednesday, 25th August 2021

મહાદેવને સ્ટેશનરીનો શ્રૃંગાર

શ્રાવણ માસના બીજા સોમવારે રામેશ્વર મહાદેવ મંદિર લક્ષ્મીનગર ખાતે ભકિત, ભજન અને ભોજન ત્રિવેદી વકીલ હિમાંશુભાઇ શીશાંગીયા તરફથી ભોળાનાથ મહાદેવને સ્ટેશનરીનો શ્રૃંગાર કરવામાં આવેલ. જે બાદમાં શ્રૃંગારની સ્ટેશનરીનો સદઉપયોગ એટલે વિસ્તારના તેમજ ઝૂંપડપટ્ટીના બાળકોને વિતરણ કરવામાં આવેલ. સાંજે આરતીના સમયે મંદિરના ગોપી મંડળ તરફથી મહાદેવને-૧૦૮ દિવાની દિપમાળા કરવામાં આવેલ. ત્યારબાદ ભૂપતભાઇ ગોહેલ (બાલવી ઇન્ડસ્ટ્રીઝ) તરફથી સર્વે ભકતજનોને ફરાળ પ્રસાદ વિતરણ કરવામાં આવેલ. આ સેવા કાર્યમાં પ્રમુખ નિલેશ ભટ્ટ, વિક્રમસિંહ ગોહીલ, ભુપતભાઇ ભટ્ટ, ચિરાગભાઇ ધામેચા, પુજારી દિનેશભાઇ દવે તેમજ બાળ સ્વયંસેવકો કિશન, પ્રિન્સ, દિપ, પ્રેમ, સુરજ, ભવ્ય, આર્યન, સિધ્ધરાજ, હાર્દિક, મહાવીર, ધાર્મિક વગેરેએ સેવા આપેલ શ્રૃંગાર માટે ગ્રેસીયસ ઇવેન્ટ મેનેજમેન્ટના મિતલબેને સેવા આપેલ. 

(2:56 pm IST)