Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

સાવધાન : રાજકોટમાં કોરોના ફરી ઝળક્‍યો : ગઇકાલે બે કેસ નોંધાયા

રૈયા રોડ, રેસકોર્ષ રોડ, કાલાવડ રોડ તથા સામાકાંઠા સહિતના વિસ્‍તારમાં ૪ દર્દીઓ હાલ સારવાર હેઠળ : કુલ કેસનો આંક ૬૩,૬૯૪ એ પહોંચ્‍યો

રાજકોટ,તા.૨૫: છેલ્લા બે વર્ષથી સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના ફરી ઝળકયો છે. શહેરમાં ગઇકાલે બે કેસ નોંધાયા છે. રૈયારોડ, રેસકોર્ષ રોડ, કાલાવડ રોડ તથા સામાકાંઠા સહિતનાં વિસ્‍તારોમાં હાલ ૪ દર્દીઓ સારવાર હેઠળ છે.

મ્‍યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્‍યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્‍યા સુધીમાં શુન્‍ય કેસ નોંધાયા છે. શહેરમાં અત્‍યાર સુધીમાં કુલ ૬૩,૬૯૪ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ  ૬૩,૧૯૧ દર્દીઓએ કોરોનાને હરાવ્‍યો છે. ગઇકાલે કુલ ૧૧૧૫ સેમ્‍પલ લેવાયા હતા. જેમાં ૨ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૦.૧૮ ટકા થયો હતો. આજ દિન સુધીમાં ૧૭,૮૮,૨૪૬ લોકોનાં  ટેસ્‍ટ કરવામાં આવ્‍યા છે. જેમાંથી સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૩.૫૬ ટકા થયો છે. રિકવરી રેટ ૯૯.૨૧ ટકાએ પહોંચ્‍યો છે.

(4:46 pm IST)