Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

‘‘લોકશાહી બચાવો...સંવિધાન બચાવો...''ના નારા સાથે કોંગ્રેસ દ્વારા ધરણા-પ્રદર્શન

રાજકોટ તા.રપ : રાજકોટ સહિત ગુજરાતભરમાં ‘‘લોકશાહી બચાવો સંવિધાન બચાવો'' ના નારા સાથે આજે કોંગ્રેસ દ્વારા રાજય વ્‍યાપી ધરણા-પ્રદર્શન યોજીને કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર સામે આક્રોશ ઠાલવામાં આવ્‍યો છે.

ગુજરાતમાં ચૂંટણી નજીક છે ત્‍યારે અશાંતિનો માહોલ, મોંઘવારી, પેપરલીક કાંડ, સરકારી ભરતીમાં ગેરરીતી, વડગામના ધારાસભ્‍યની ધરપકડ સહિતના વિવિધ સળગતા આજે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની આગેવાનીમાં રાજયવ્‍યાપી ધરણા-પ્રદર્શન કાર્યક્રમો યોજવાનું એલાન કરાયું છે, રાજયના ૩૩ જિલ્લા અને૮ મહાનગરોમાં આ કાર્યક્રમો આપવામાં આવ્‍યા છે, કોંગ્રેસના સૂત્રોએ કહ્યું કે, રપમી એપ્રિલે ‘લોકશાહી બચાવી, સંવિધાન બચાવો' ધરણાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ કાર્યક્રમમાં સરકારના જનવિરોધી નિર્ણયો સામે પ્રજાનો અવાજ બુલંદ કરવા પ્રયાસ કરાશે. તાજેતરમાં જ કોમી હિંસાની ઘટનાઓ બની હતી, જેની પાછળ ભાજપનો હાથ હોવાના કોંગ્રેસે ગંભીર આક્ષેપો કર્યાહતા.

અમદાવાદ શહેરમાં કોંગ્રેસે હાયરે મોંઘવારીના નામે પદયાત્રા યોજવાનું એલાન કર્યુ હતું. જેની શરૂઆત રપમીના સોમવારે સાંજે આઇઓસી રોડ ચાંદખેડા ખાતેથી કરવામાં આવશે. આ કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સહિતના આગેવાનો હાજરી આપશે. તબકકાવાર રીતે શહેરના ૪૮ વોર્ડમાં આ યાત્રા નીકળશે. બીજી તરફ શહેરમાં આમ આદમી પાર્ટીના પ૦ જેટલા હોદ્દેદારો, આગેવાનો કોંગ્રેસ પક્ષમાં સામેલ થયાનું શહેર કોંગ્રેસે જાહેર કર્યુ હતું.(

(4:22 pm IST)