Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

લક્ષ્મીવાડીમાં પડોશીઓ વચ્ચે જુના મનદુઃખને કારણે મારામારીઃ પાંચને ઇજા

રાજુભાઇ પરમારે અગાઉ ફરિયાદ કરી હોઇ તેનો ખાર રાખી અંકિત, મેહુલે છરીઓ ઉગામી માર માર્યોઃ વચ્ચે પડેલા જીજ્ઞાશાબેન, અંજનાબેનને પણ ઇજાઃ સામે પૂજાબેન અને ભૂમિબેન ઘવાયા

રાજકોટ તા. ૨૫ઃ લક્ષ્મીવાડી કવાર્ટરમાં પડોશીઓ વચ્ચે જુની ફરિયાદના મનદુઃખને લીધે મારામારી થતાં પાંચને ઇજા થઇ હતી.

લક્ષ્મીવાડી કવાર્ટર નં. ૬૫માં રહેતાં રાજુભાઇ પ્રતાપભાઇ પરમાર (ઉ.૪૭)ની ફરિયાદ પરથી ભકિતનગર પોલીસે આ બનાવમાં લક્ષ્મીવાડી કવાર્ટરના જ અંકિત શૈલષ્ેાભાઇ રાઠોડ અને મેહુલ શૈલેષભાઇ રાઠોડ સામે ગુનો નોંધ્યો છે. રાજુભાઇએ અગાઉ આરોપી વિરૃધ્ધ ફરિાયદ કરી હોઇ તેનો ખાર રાખી હુમલો કરી ઢીકાપાટુનો માર મારી ગાળો દઇ છરીઓ ઉગામવામાં આવ્યાનું ફરિયાદમાં જણાવાયું છે.

મારામારી થતાં રાજુભાઇને બચાવવા તેમના પિત્રાઇ બહેન જીજ્ઞાશાબેન ભરતભાઇ પરમાર (ઉ.૩૫) અને ભત્રીજાવહૂ અંજનાબેન ભાવેશભાઇ પરમાર (ઉ.૪૨) વચ્ચે પડતાં તેને પણ મારકુટ કરવામાં આવી હતી. ભાવેશભાઇના ઘરે રાંદલમાતાજીના લોટાનો પ્રસંગ હોઇ રાજુભાઇ ત્યાં આવ્યા હતાં ત્યારે આ માથાકુટ થઇ હતી. સામા પક્ષે પૂજાબેન અજયભાઇ રાઠોડ (ઉ.૨૮) અને ભૂમિબેન રવિભાઇ ચોૈહાણ (ઉ.૩૨) પણ પોતાના પર હુમલો થયાની રાવ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતાં. હેડકોન્સ. જયેશભાઇ ચંદુભાઇ વધુ તપાસ કરે છે.

(3:46 pm IST)