Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

બેભાન હાલતમાં ધર્મેન્‍દ્રસિંહ, રામાભાઇ અને ઋષિભાઇના મોત

૮૦ ફુટ રોડ ખોડિયારનગર, કુબલીયાપરા અને કોઠારીયા કોલોનીમાં રહેતાં ત્રણેય મૃતકના પરિવારજનોમાં શોક

રાજકોટ તા. ૨૪: બેભાન હાલતમાં ત્રણ લોકોને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ ત્રણેયના મોત નિપજ્‍યા હતાં.
એંસી ફુટ રોડ પર ખોડિયારનગર શેરી નં. ૨૪માં રહેતાં ધર્મેન્‍દ્રસિંહ ધીરૂભા જાડેજા (ઉ.વ.૪૨) બિમાર હોઇ ગત સાંજે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ તેમનું મૃત્‍યુ નિપજ્‍યું હતું. તેઓ બે ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. લાંબા સમયથી બિમાર હોઇ કામ કરી શકતાં નહોતાં. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
બીજા બનાવમાં ઘંટેશ્વર ૨૫ વારીયામાં રહેતાં રામાભાઇ કરસનભાઇ બહાદણીયા (દેવીપૂજક) (ઉ.વ.૪૫) સાંજે કુબલીયાપરામાં પોતાના બનેવી કિરણભાઇ ભાનુભાઇ કરસાંગણીયાના ઘરે હોઇ ત્‍યાં જમીને ઉભા થયા બાદ અચાનક ઢળી પડતાં અને બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્‍યું હતું. તેઓ બનેવીના ઘરે બે દિવસથી રોકાયા હતાં. જુના કપડાનો ધંધો કરતાં હતા. સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રી છે.
ત્રીજા બનાવમાં કોઠારીયા કોલોની ક્‍વાર્ટર નં. ૩૮૦માં રહેતાં રૂષિકભાઇ નરેન્‍દ્રભાઇ જોષી (ઉ.૩૮) ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં સ્‍વજનોમાં શોક છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે થોરાળા અને ભક્‍તિનગર પોલીસને જાણ કરી હતી.

 

(11:56 am IST)