Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

રાજકોટમાં કોંગ્રેસનું ‘લોકશાહી બચાવો'ની માંગ સાથે મૌન ધરણા-વિરોધ પ્રદર્શન

રાજકોટ તા. ૨૪ : કેન્‍દ્ર તથા રાજયની ભાજપ સરકારની પ્રજા ત્રસ્‍ત બનેલી છે. મોંઘી  વીજળી, બેરોજગારી, મોઘવારી, સરકારી નોકરીઓમાં વારંવાર ગેરરીતી, પેપર લીક કાંડ  સહિત અનેકવિધ સમસ્‍યાઓથી લોકો પરેશાન છે ત્‍યારે લોકશાહી બચાવોની માંગ સાથે મૌન ધરણા વિરોધ પ્રદર્શન શહેરના ત્રિકોણબાગ ખાતે યોજવામાં આવ્‍યા હતા.

આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી અને કાર્યકારી પ્રમુખ સંજય અજુડીયાએ જણાવ્‍યું હતું કે, લોકશાહી વિરોધી કાનૂની જોગવાઈનો દુરૂપયોગ કરીને ભાજપ સરકારે બ્રિટિશ રાજયની યાદ તાજી કરી છે. ત્‍યારે હંમેશની જેમ સત્‍ય અને પ્રજાને પડખે રહેવાની નીતિ અને વલણ ધરાવતો કોંગ્રેસ પક્ષ આવા સરકારના જન વિરોધી નિર્ણયો સામે પ્રજાનો અવાજ બુલંદ કરવાના પ્રયાસને ઉજાગર કરે છે.  પ્રદેશ પ્રમુખ જગદીશભાઇ ઠાકોરની  સૂચના અનુસાર  રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ‘લોકશાહી બચાવો'ની માંગ સાથે મૌન ધરણા-વિરોધ પ્રદર્શનના કાર્યક્રમનું આયોજન કરેલ છે. જેમાં રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રદેશના હોદેદારો, શહેરના હોદેદારો, તમામ ફ્રન્‍ટલ સેલના ચેરમેનો, તમામ વોર્ડ પ્રમુખો, પૂર્વ કોર્પોરેટરો, આગેવાનો, કાર્યકરો ભાઇઓ-બહેનોએ નીચે જણાવેલ સ્‍થળે ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:13 pm IST)