Gujarati News

Gujarati News

News of Monday, 23rd August 2021

જામનગર રોડ ઘંટેશ્વર ૨૫ વારીયામાં ખુલ્લી જગ્યામાં તીનપતીનો જુગાર રમતા ત્રણ પુરૂષ તથા એક મહીલાને પકડી ગાંધીગ્રામ પોલીસે પકડ્યા

રાજકોટ:  જામનગર રોડ ઘંટેશ્વર ૨૫ વારીયામાં ખુલ્લી જગ્યામાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઇસમો તથા એક મહીલાને કોન્સ.ભરતભાઇ ચૌહાણ તથા દિવ્યરાજસિંહ જાડેજાની હકીકતના આધારે પકડી લેવાયા છે. આ ચારેયના  નામ સરનામા આ મુજબ છે. (૧) કમુબેન ચીમનભાઇ કાળુભાઇ પરમાર (ઉવ.૫૨ રહે ઘંટેશ્વર ૨૫ વારીયા કવાટર નં.૭૧૮ જામનગર રોડ રાજકોટ), ચીમન કાળુભાઇ પરમાર (ઉવ.૫૦ રહે ઘંટેશ્વર ૨૫ વારીયા કવાટર નં.૭૧૮ જામનગર રોડ રાજકોટ), રવિ સુરેશભાઇ સોલંકી ઉવ.૨૨ રહે ઘંટેશ્વર ૨૫ વારીયા કવાટર નં.૧૪૬૮ જામનગર રોડ રાજકોટ અને સુરેશ બચુભાઇ વણોદીયા (ઉવ.૫૦ રહે નારાયણ નગર શેરી નં.૧૦ ઢેબર કોલોની પાસે રાજકોટ) 

ચારેય પાસેથી ગંજીપાના તથા રોકડા રૂ.૩૧૭૦ કબ્જે થયા છે.

ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા મદદનીશ પોલીસ કમિશ્નર પશ્ચીમ વિભાગ પી.કે.દિયોરાની સુચના મુજબ પોલીસ ઇન્સપેકટર કે. એ. વાળાના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. જે જી.રાણા, હેડ.કોન્સ. ખોડુભા જાડેજા, પો.કોન્સ. વનરાજભાઈ લાવડીયા, ભરતભાઇ ચૌહાણ, દિવ્યરાજસિંહ જાડેજા, દિગ્વીજયસિંહ ગોહીલ, ગોપાલભાઇ પાટીલ, ગોપાલભાઇ બળીયા તથા દિનેશભાઇ વહાણીયાએ આ કામગીરી કરી હતી.

(9:50 pm IST)