Gujarati News

Gujarati News

News of Monday, 23rd August 2021

સર્વ ધર્મોમાં જૈન ધર્મની દીક્ષા સર્વોપરીઃ પૂ.ધીરજમુની મ.સા.

કુ.રોશનીબેન આશરાની દીક્ષા આજ્ઞા અર્પણ વિધી યોજાઇ

રાજકોટ, તા.૨૩: શ્રી ઇન્દ્રપ્રસ્થનગર જૈન સંઘ-રાજકોટ ખાતે પૂ.ધીરગુરૂ દેવની નિશ્રામાં દીક્ષા આજ્ઞા અર્પણ પ્રસંગે ઇન્દોરના નિમેષ કોઠારી, જામનગરના કે.ડી.જૈન સંઘના અજય શેઠ, જૂનાગડના સુરેશભાઇ કામદાર તેમજ રાજકોટ જૈન મોટા સંઘના પ્રમુખ હરેશભાઇ વોરા, ભકિતનગરના હિતેનભાઇ અજમેરા, પડધરીના સુભાષભાઇ પટેલ, આશરા પરિવારની હાજરીમાં દીક્ષાર્થી કુ.રોશનીબેન આશરાની દીક્ષા આજ્ઞા તિલકનો રંજનબેન જયસુખલાલ પટેલઅને જીવદયાનો સુશીલાબેન ઇન્દુભાઇ બદાણીએ લાભ લીધેલ.પૂ.ગુરૂદેવ જણાવેલ કે સર્વ ધર્મોમાં જૈન ધર્મની દીક્ષાનો માર્ગ સર્વોપરી છે. દેવોને દુર્લભ સંયમ મનુષ્યભવમાં જ પ્રાપ્ત  થાય છે.

ધીરૂભાઇ વોરા, નલીન બાટવીયાએ આજ્ઞા પત્રનું વાંચન કરેલ. ગોંડલ સંપ્રદાયમાં દીક્ષાર્થીને સહુએ સંયમ શુભેચ્છા પ્લેકાર્ડથી વધામણા કર્યા હતા.

(4:31 pm IST)