Gujarati News

Gujarati News

News of Monday, 23rd August 2021

પર્યુષણ પર્વ નિમિતે કતલખાના-માસ-મટનના વેંચાણ પર પ્રતિબંધ : જાહેરનામું

૩ સપ્ટેમ્બરથી ૧૦ સપ્ટેમ્બર સુધી આ જાહેરનામાનો ચુસ્ત અમલ કરવા મ્યુ.કમિશ્નર અમિત અરોરાની તાકિદ

રાજકોટ,તા. ૨૩ : આગામી 'જૈનોના પવિત્ર પર્યુષણ પર્વ' નિમિતે તા. ૩ સપ્ટેમ્બરથી તા. ૧૦ સપ્ટેમ્બર (દિવસ ૮) સુધી રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્છી અને ચીકનનું વેચાણ કે સ્ટોર નહિ કરવા પર મ્યુ. કમિશ્નર અમિત અરોરા દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.

મ્યુ.કમિશ્નરે જાહેર કરેલ જાહેરનામામાં જણાવ્યુ છે કે સંબંધકર્તા સર્વેએ આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે ધી. જી.પી.એમ.સી. એકટ ૧૯૪૯ અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની સબંધકર્તા તમામે ગંભીર નોંધ લેવા જણાવાયું છે.

(4:28 pm IST)