Gujarati News

Gujarati News

News of Monday, 23rd August 2021

આજી વસાહતમાં સગર્ભા અનિતાબેન યાદવનું બેભાન થયા બાદ મોત

મુળ મધ્યપ્રદેશની મહિલાને હોસ્પિટલમાં ખસેડાઇ પણ દમ તોડી દીધો

રાજકોટ તા. ૨૩: આજી વસાહત કાનાભાઇના મફતીયાપરામાં રહેતાં અનિતાબેન શંકરભાઇ યાદવ (ઉ.વ.૩૬) નામના સગર્ભા ઘરે અચાનક બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

અનિતાબેન મુળ મધ્યપ્રદેશના વતની હતાં. તેના પતિ શંકરભાઇ કારખાનામાં કામ કરે છે. તેણીના પેટમાં સાત માસનો ગર્ભ હતો. મૃત્યુ અંગે હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડાએ થોરાળા પોલીસમાં નોંધ કરાવી હતી. મૃતકના લગ્ન આઠ વર્ષ પહેલા થયા હતાં. પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું. 

(3:17 pm IST)