Gujarati News

Gujarati News

News of Monday, 23rd August 2021

સંત કબીર રોડના નાલા પાસે આઇશર અને ટ્રક વચ્ચે અકસ્માતઃ કેશોદના યુવાનનું મોત

પ્રકાશ એકલેયા (ઉ.૨૪) આઇશરમાં માલ ભરી અમદાવાદ ખાલી કરવા માટે જતો'તોઃ મોડી રાત્રે બનાવઃ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૨૩: આજીડેમ ચોકડીથી ગ્રીનલેન્ડ ચોકડી તરફ જતાં રસ્તા પર સંત કબીર રોડના નાલા ઉપર ટ્રકની પાછળ આઇશર અથડાતાં આઇશરના ચાલક કેશોદના યુવાનનું ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું છે.

કેશોદ ત્રિલોકપરા-૨માં રહેતો પ્રકાશ રામજીભાઇ એકલેયા (ઉ.વ.૨૪) પોતાના આઇશર જીજે૧૧ટીટી-૬૬૦૬માં માલ ભરી અમદાવાદ ખાલી કરવા જવા નીકળ્યો હોઇ રાત્રીના સાડા ત્રણેક વાગ્યે તે રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી તરફ જતાં રસ્તા પર સંત કબીર રોડના નાલા પર પહોંચ્યો ત્યારે આગળના ટ્રક જીજે૦૪વી-૪૯૬૯ પાછળ અકસ્માત સર્જાતાં ગંભીર ઇજા થતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.

હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડાએ જાણ કરતાં આજીડેમના પીએસઆઇ કડછા સહિતે બનાવ સ્થળ અને હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક યુવાનના સ્વજનોને જાણ કરતાં તેઓ કેશોદથી રાજકોટ આવવા રવાના થયા હતાં.

(3:16 pm IST)